Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

સાંપ્રત સમયના પરિપેક્ષ્યમાં રાજા હરિશ્ચન્દ્રોપાખ્યાનનું ચિંતનાત્મક વિશ્લેષણ

Authors:

Bhairavi Dixit

Abstract:

પ્રવર્તમાન કોરોનાકાલ અને તેની ભયાનક  અસરોથી પીડાય રહેલ  માનવ માત્ર માટે સામાન્ય રીતે  જનજીવન પૂર્વવત બનાવવું કપરું થઈ ગયું છે. આપણે ભારતીય હોવાનું ગર્વ લઈ શકીએ, કારણકે આ સંજોગોમાં સમગ્ર વિશ્વમાં દેશ-વિદેશના ખૂણે ખૂણે વસતા લોકો ભારતીય સાહિત્ય, ભારતીય ઔષધિઓ, ભારતીય વિચારધારા અને વિવિધ ભારતીય ચિંતન-મંથનનો સહારો લઈ રહ્યા છે. સાંપ્રત સમયમાં ભારતીય સાહિત્યમાં નિહિત શાસ્ત્રોનું દોહન અત્યંત રૂચિકર અને આવશ્યક છે. સૃષ્ટિની કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવવું હોય તો સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ માત્ર પ્રસ્થાન-ત્રયીનું અધ્યયન જ  પૂરતું છે. આ પ્રસ્થાન ત્રયી એટલે વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ગીતાનો ત્રિવેણી સંગમ.

પ્રસ્તુત શોધ પેપર-સાંપ્રત સમયના પરિપેક્ષમાં રાજા હરિશ્ચન્દ્રોપાખ્યાનનું  ચિંતનાત્મક વિશ્લેષણ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા, સંજોગોને સરળ બનાવવા, અચાનક આવી ચડેલી મુશ્કેલીઓને માત મારવા અને અણધારી  સમસ્યાઓનું સમાધાન મેળવવા આપણે આપણા  જ ભારતીય શાસ્ત્રોમાં સમાહિત ઉત્તમ તત્ત્વોનું યથાયોગ્ય ચિંતન કરીએ. પ્રસ્તુત પેપરમાં  શોધકર્તાનો  મુખ્ય ધ્યેય એ જ છે કે સાંપ્રત સમયમાં આપણી જીવનયાત્રાને અવિરત વિકાસની દિશા તરફ પુનઃ ગતિમાન કરીએ. આ સમજણને પુનઃ પ્રાપ્ત કરવા યાદ કરીએ, ચિંતન કરીએ આપણા વૈદિક સાહિત્યનુ. બ્રાહ્મણ સાહિત્ય એ વેદનું એક અભિન્ન અંગ છે જેમાં સમાવિષ્ટ ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ માનવજીવન માટે ખૂબ જ ઉપયોગી છે. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં રાજા હરિશ્ચન્દ્રોપાખ્યાનવર્ણન અતિ પ્રસિદ્ધ છે. આધુનિકયુગમાં પ્રચલિત જીવન દૃષ્ટિકોણના સંદર્ભે  ઇન્દ્રએ વરુણને આપેલો, “ચરૈવેતિ – ચરૈવેતિ....” ઉપદેશને નવી તાજગી અને નૂતન મંથન સાથે પ્રથાપિત કરવા આ લેખન કાર્ય હાથ ધર્યું છે. 

Keywords:

·        ·           કોરોનાકાલ

·           અણધારી સમસ્યાઓ

·           વર્તમાન પરિસ્થિતિ અને માનસિક અસરો

·           પ્રસ્થાન-ત્રયી

·           વૈદિક સાહિત્ય : સમાધાન માટેનું શરણ

·           ઈન્દ્રનો વરુણને ઉપદેશ

·           ચરૈવેતિ – ચરૈવેતિ .. 

·           અવિરત ચલતી રહે સાધના..  

Vol & Issue:

VOL.14, ISSUE No.1, March 2022