Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ગુજરાતમાં મેઘાણીપૂર્વે થયેલું લોકસાહિત્ય સંદર્ભેનું સંશોધન-વિવેચનકાર્ય: કેટલીકપાર્શ્વભૂમિકા

Authors:

Kaushikkumar Pandya

Abstract:

લોક, સંત અને ચારણી સાહિત્યને એક સાથે અભ્યાસનો વિષય બનાવીને મહત્વના સંશોધનગ્રંથો આપનાર ઝવેરચંદ મેઘાણી ગુજરાતના પ્રથમ વિદ્વાન છે. પોતાના સમયમાં ઉપલબ્ધ અને પ્રકાશિત થયેલા ભારતીય અને અંગ્રેજી ભાષાના આ વિષયના ઘણાં પુસ્તકોનું પરિશીલન મેઘાણીએ કર્યું છે. લોક, સંત અને ચારણી સાહિત્ય સંદર્ભે મેઘાણીએ સૈદ્ધાંતિક પીઠિકા રચીને એના મર્મસ્થાનો શોધી બતાવ્યા છે. મેઘાણીએ પ્રાદેશિક સામગ્રીના આધારે સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા છે. આ ઉપરાંત તેમની સૈદ્ધાંતિક અવધારણાની અન્ય વિશેષતા એ છે કે મેઘાણીના લોકસમુદાય સાથેના અનુબંધ અને પ્રત્યક્ષ અનુભવનું તે મૌલિક પરિણામ છે. આ ત્રણેય ધારાનું સંશોધન-વિવેચનકાર્ય મેઘાણીએ ઉપાડ્યું એ સમયે ગુજરાતમાં આ કાર્યનો શાસ્ત્રીય આરંભ હજુ થયો ન હતો. એ સમયે લોક, સંત કે ચારણી સાહિત્યનુ સંશોધન એક વિદ્યાશાખા અને વિજ્ઞાન તરીકે સ્થપાયું ન હતું. પરંતુ મેઘાણીનો પ્રવેશ થયો છે એ પૂર્વે લોકસાહિત્ય ક્ષેત્રે પાત્રીશ જેટલા અભ્યાસીઓનું મહત્વપૂર્ણ પ્રદાન પ્રાપ્ત થયેલું છે. 

Keywords:

ઝવેચંદ મેઘાણી, લોકસાહિત્ય સંશોધન-વિવેચન.

Vol & Issue:

VOL.13, ISSUE No.3, September 2021