Ritu Sharma, Deepika Shah
આ સંશોધનનો મુખ્ય
ઉદ્દેશ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓનું તટસ્થ રીતે વિશ્લેષણ
કરવાનો છે અને હિંદુ ધાર્મિક પરંપરાઓ સાથે તેના સંબંધોની સમજ મેળવવાનો છે. અભ્યાસ
માટે સાહિત્ય સમીક્ષા, ક્ષેત્ર અધ્યયન અને મૌખિક પરંપરાઓનો આધાર લેવાયો
છે. આદિવાસી જીવનપદ્ધતિમાં પ્રકૃતિ સાથેનો ઘનિષ્ઠ સંબંધ, પિતૃપૂજા અને સ્થાનિક દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા જેવા તત્વો
જોવા મળે છે. આ તત્વોમાંથી કેટલાક હિંદુ ધાર્મિક પરંપરાઓ સાથે
સામ્યતા ધરાવે છે, જ્યારે કેટલાક તત્વો સ્વતંત્ર ઓળખ દર્શાવે છે.
સંશોધન સૂચવે છે કે આદિવાસી સંસ્કૃતિને તેના વૈવિધ્યપૂર્ણ
પરિપ્રેક્ષ્યમાં સમજવું વધુ યોગ્ય છે.
આદિવાસી સમાજ, ધાર્મિક ઓળખ, પ્રકૃતિપૂજા, લોકપરંપરા, સાંસ્કૃતિક અભ્યાસ, હિંદુ પરંપરા
VOL.18, ISSUE No.1, March 2026