Dinesh Kanjaria
ભારતના પરંપરાગત સમાજોમાં
છુત અછુત સવર્ણ અવર્ણ ઉચ્ચ નિમ્ન જેવા ભેદભાવો પ્રવર્તતા હતા. તેને દુર કરવા
સમાજસુધારકોએ અનેકવિધ પ્રયાસો કર્યા એટલુજ નહિ ગાંધીજીએ અસ્પૃશ્યતાને દેશનું કલંક
પણ ગણાવ્યું અને વ્યવહારિક દ્રષ્ટીએ ઉદાહરણ રૂપ બની અસ્પૃશ્યતાને દુર કરવા પ્રયાસો
કરાયા તેની સાથે સાથે ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપો દ્વારા લેખકો કવિઓ
નવલકથાકારો ગઝલકારો વગેરે ગુજરાતી સાહિત્યના લખાણોથી સમાજમાં દલિત ચેતનાના કાર્યો કર્યા
છે. ગુજરાતમાં સમર્થ દલિત સાહિત્યકારના સામાજિક સંદર્ભોમાં જોસેફ મેકવાનનું નામ
અમર છે તેમને દર્શાવેલ “આંગળીયાત” નવલકથામાં દલિત પત્રોની કથા છે જેમાં સવર્ણ અવર્ણ પાટીદાર
અને દલિત તણાવાણાથી વણાયેલ સાહિત્ય છે જેનો હેતુ દલીતોની ચેતના જાગૃતિ અને હક અને
અધિકારોથી સભાનતાનો સંદેશ પૂરો પડે છે કદાચ આવા અનેકવિધ સાહિત્યકારોના સાહિત્યના
સંદર્ભમાંથી વર્તમાન સમાજ ભેદભાવથી મુક્ત થઇ રહ્યો છે કે જોઈ ન શકાય તે રીતે
અદ્રશ્ય થઇ રહ્યો છે?
દલિત ભદ્ર,અનામત વિદ્રોહ,
સમાંતર પ્રવાહ,વિપતીઓનું સાનિધ્ય,ગ્રામીણ પરિવેશ,ઉજળીયાત
પ્રતિબધ્ધતા,તાણાવાણા,પ્રદેશ, વિશેષ કર્મશીલ, પરાધીનતા, મહોલ્લો, પ્રાણવાન
VOL.17, ISSUE No.1, March 2025