C G Brahmbhatt
પ્રસ્તુત સંશોધન પેપરમાં
સંશોધક દ્વારા સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા અંગે અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. સંશોધક
દ્વારા સામાજિક સ્વંતંત્રતા માપન માટેની એલ.આઇ.ભૂષણ રચિત કસોટીની મદદથી 400 સ્ત્રીઓ
પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવેલ છે. નિદર્શની પસંદગી સ્તરીકૃત યાદ્છિક નિદર્શન
પદ્ધતિથી કરવામાં આવી હતી. સંશોધક દ્વારા ક્રાંતિક ગુણોત્તરની મદદથી શૂન્ય ઉત્કલ્પનાની
ચકાસણી કરવામાં આવેલ છે. સંશોધનના મહત્વના તારણોમાં સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા
પર તેમના રહેઠાણના વિસ્તાર, વૈવાહિક દરજ્જો, કુટુંબના પ્રકાર અને કાર્યના દરજ્જાની
સાર્થક અસર જોવા મળેલ છે. સ્ત્રીઓની શૈક્ષણિક લાયકાતની તેમની સામાજિક સ્વંતંત્રતા પર
કોઇ સાર્થક અસર જોવા મળતી નથી.
સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા,
વિસ્તાર, વૈવાહિક દરજ્જો, કુટુંબનો પ્રકારન, કાર્ય દરજ્જો
VOL.15, ISSUE No.3, September 2023