Sangita Patel
આદિવાસીઓ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે. જેઓ કુદરત
સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. 2011ના સેન્સસ મુજબ ભારતમાં આદિવાસીઓની વસતિ છે. ગુજરાતમાં
આદિવાસીઓની વસતિ ૮૯.૧૭ લાખ ૧૪.૮% છે. જે કુલ વસતિના ૧૦.૪૨ કરોડ જે ૮.૬% છે. દરેક
આદિવાસી જૂથની પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ છે. આઝાદી બાદ બંધારણીય જોગવાઇઓ, સરકારની આદિવાસી કલ્યાણ જોજનાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ વગેરેને કારણે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ
છેલ્લા બે દાયકામાં વધ્યુ છે. પરંતુ ઉચ્ચશિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓનો
એનરોલમેન્ટ રેશયો માત્ર 5.6% (AISHE- 2019-2020). પ્રાથમિક- માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ સ્થાનિક સરકારી શાળાઓતથા
આશ્રમશાળાઓમાં આદિવાસી વિદ્યાર્થીઓને મળી રહે છે. પરંતુ ઉચ્ચશિક્ષણ, પ્રોફેશનલ કોર્ષ વગેરે માટે આદિવાસી વિદ્યાર્થીઓ મોટેભાગે
અમદાવાદ, વડોદરા, સુરતા, રાજકોટ વગેરે જેવા મોટા શહેરોમાં
પ્રવેશ મેળવે છે. નગરો અને મહાનગરોની પોતાની આગવી સંસ્કૃતિ છે. આદિવાસી
વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ સંદર્ભે શહેરોમાં આવે છે ત્યારે શૈક્ષણિક, સામાજિક,
સાંસ્કૃતિક, ભાષાકીય અનુકૂલનના પ્રશ્નો ઊભા થાય
છે. પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ આદિવાસી ઉચ્ચશિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓના
અનુકૂલનના પાર્ષનો જાણવાનો છે તથા ઉછશિક્ષણ સરકારી આદિવાસી યોજનાઓની અસર તપાસવાનો
છે. બિનસંભાવનાત્મક નિદર્શન દ્વારા અમદાવાદ શહેરમાં ઉચ્ચશિક્ષણ મેળવતા 80 આદિવાસી
વિદ્યાર્થીઓની પસંદગી કરી છે. અભ્યાસની મુખ્ય પદ્ધતિ સર્વેક્ષણ અને ફોકસ ગૃપ
ડિસ્કશન છે. મુલાકાત અનુસૂચિ દ્વારા માહિતી એકત્રીકરણ કર્યું છે.
ઉચ્ચશિક્ષણ ,આદિવાસી વિદ્યાર્થીઓ , સંસ્કૃતિ
VOL.15, ISSUE No.3, September 2023