Bhupendra Brahmbhatt
બાળપણ
એટલે વ્હાલ અને વિસ્મયનું જગત,બાળકો એટલે સતત ઉછળકૂદ અને ધીંગામસ્તી કરતા હસતા
ખેલતા માનવબાળ .બાળકો એટલે જિજ્ઞાસુ ,જે જગતના ,પ્રકૃતિના,ઈન્સાનના રહસ્યોથી રોમાંચિત
થયા કરે. એટલે બાળકો ઝટ થાકે નહી. રમવાથી એમનો જીવન રસ છલોછલ હોય. ઓક્ષફર્ડ ડિક્સનરી પ્રમાણે બાળક એટલે પુખ્ત ઉમરની ન હોય
અને ચાઈલ્ડ એક્ટમુજબ જેને ૧૪વર્ષની વય પૂરી ના કરી
હોય તે બાળક છે. ટૂંકમાં બાળક એટલે ૧૪
વર્ષથી નીચેની વય ધરાવતા વ્યક્તિઓ . બાળક એ માનવીને ઈશ્વરે આપેલી એક ભેટ અને એક
અમુલ્ય ખજાનો છે. બાળક એ આવતીકાલનો નાગરિક છે. વિકાસ માટેનું એક માધ્યમ છે. તેથી
તેમના આરોગ્યઅને શિક્ષણ નું ધ્યાનરાખીને ઉછેર કરાય તો તે
ડહાપણયુક્ત રોકાણ ગણીશકાય. તેનાથી શ્રેષ્ઠ સામાજિક, આર્થિક વિકાસ તો શકય બને જ છે.પરંતુ
મજબુત રાષ્ટ્રનું પણ નિર્માણ થાય છે .બાળકો તેમના અધિકારો ભોગવી શકે અને
બાળપણના સારા અનુભવોનું ભાથું લઇ પુખ્ત બને તે માટે કુટુંબ,સમાજ ,અને રાજ્યે પોતાની
જવાબદારી નિભાવવી જ રહી,
દુનિયામાં ખુબ જ
ક્રાંતિકારી બદલાવ આવી રહ્યા છે ,ટેકનોલોજીને કારણે માનવીઓની જીવનશૈલી બદલાઈ ગઈ છે
.ભૌતિકવાદનો વધારો થયો છે અને આર્થિક ઉપાર્જન માટે ,સારી નોકરી કે વ્યવસાય માટે
દરેક વાલી પોતાનું બાળક સારું શિક્ષણ લઇ આગળ
વધે તેવી અપેક્ષા રાખે છે. પણ શિક્ષણ માં ખુબજ સ્પર્ધા વધતી જાય છે ત્યારે તેની
પાસેથી સારા પરિણામની અપેક્ષા તેના બાળપણ ને મુરઝાવે છે. બાળક ભણતરના બોજ નીચે કચળાઈ
જાયછે. શાળામાં અભ્યાસ કરતા બાળકો માર્કશીટ ને મહત્વ આપી યંત્રવત બનવા લાગ્યા છે અને
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે આ સંશોધન કાર્ય દ્વારા બાળકોને ખરેખર અભ્યાસમાં કેટલો રસ છે? તેમને અભ્યાસ કરવો ગમેછે ?તેમને ક્યાં વિષયો પસંદ છે ?ક્યાં વિષયો પસંદ નથી,?
બાળકોના અભ્યાસમાં શિક્ષક કેટલા જવાદાર છે?અને બાળકો કઈ ઈત્તરપ્રવુતિ કરે છે,તેમજ
તેઓની જીવનશૈલી કેવી છે ? વગેરે અંગે ઉપલભ્ય નિદર્શન મુજબ બાળકોની મુલાકાત અનુસુચિથી માહિતી એકત્ર કરી કરતા જણાયું કે બહુમતી બાળકોને ભણવું ગમેછે, આજના બાળકો ને અંગ્રેજી , ગુજરાતી અને સમાજવિજ્ઞાન
વધુ મન ગમતા વિષય બન્યા છે. વિષયની પસંદગી પાછળ શિક્ષક અને શિક્ષણ પદ્ધતિ
જવાબદાર હોવાનું માને છે.તો ઈતર
પ્રવૃત્તિ માં રમવાની ઈચ્છા અને મેદાનમાં રમવા બહુમતી બાળકો જાય છે તો સાથે બહુમતી
બાળકો મોબાઈલ માં ગેમ રમતા હોવાનું જણાય
છે. તો ટીવી.અને મોબાઈલ દ્વારા મનોરંજન મેળવે છે.અને અલગારી રખડપટ્ટી કરતા
નથી, સાથે જ સગા વ્હાલા અને મિત્રોને ઘરે
જવાનું પસંદ છે.તેમને ઘરનું અને બહારનું
ખાવાનું ગમે છે અને આજના બાળકો ચટપટા તીખા
ના શોખીન છે. .છેલ્લે આજના બાળકોને જીવન
સરળ,સુખી,આનદાયક લાગે છે ટૂંકમાં આજના બાળકો ઉપર ટેકનોલોજી અને બદલાવની શૈક્ષણિક
અભિરુચિ.ઈત્તરપ્રવૃત્તિ અને જીવનશૈલી પર ખુબ મોટી અસર થઇ હોવાનું જણાય છે.,પરંતુ
ગણિત અને વિજ્ઞાન જેવા વિષય મન પસંદ બન્યા નથી અને બેઠાડું જીવન શૈલી ચિંતા ઉપજાવે
છે.આ માટે સૌએ જાગૃત થઇ બદલાવ લાવવો પડશે.
બાળકો.
બાળપણ ,શૈક્ષણિક અભિરુચિ, બદલાતી જીવનશૈલી .ટેકનોલોજીનો પ્રભાવ
VOL.15, ISSUE No.3, September 2023